ધોરણ-7 બીજુસત્ર








 


  • सामाजिक विज्ञान के महत्वना प्रश्नों

ધો-7 સે-2
🌻🌹🌾🍃💫

  • ♦મધ્યયુગીન ગુજરાત

💫🍃🌾🌹🌻
➡ગુજરાતમાં ચાવડાવંશ, વાઘેલાવંશ અને સોલંકી વંશના શાસકોએ કેટલાં વર્ષ શાસન કર્યું ? - 560 વર્ષ.
(૨) મધ્યયુગીન ગુજરાતમાં ગુજરાતની રાજધાની કઈ હતી ? - અણહિલવાડ પાટણ.
(૩) અણહિલવાડ પાટણને સ્થાપનાર રાજાનું નામ જણાવો. - વનરાજ ચાવડા.
(૪) સિધ્ધરાજ જયસિંહે કયો ગ્રંથ બનાવડાવ્યો હતો ? - સિધ્ધહેમ શબ્દાનુંશાસન.
(૫) સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી ? - મૂળરાજ સોલંકી.
(૬) પાટણની ઐતિહાસિક રાણકી વાવ કોણે બંધાવી હતી ? - રાણી ઉદયમતિ.
(૭) સિધ્ધરાજ જયસિંહે પાટણમાં કયું તળાવ બંધાવ્યું હતું ? - સહસ્ત્રલિંગ તળાવ.
(૮) શાહબુદ્દીન ધોરીને કઈ રાણીએ યુધ્ધમાં હાર આપી હતી ? - નાઈકીદેવી.
(૯) વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ જણાવો. - કરણદેવ વાઘેલા.
(૧૦) અહમદશાહે 1411 માં કયું નગર વસાવ્યું ? - અમદાવાદ.
(૧૧) ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત ક્યારે થઈ ? - સત્તરમી સદીમાં.
(૧૨) રાજધાનીનો પ્રદેશ સરસ્વતી નદીના કિનારે હોવાથી ક્યાં નામે ઓળખાતો ? - સરસ્વતીમંડલ.
(૧૩) સોલંકી યુગ દરમિયાન અગિયારમી સદીમાં મોઢેરામાં શાનું નિર્માણ કરવામાં આવ્યું ? - સૂર્યમંદિર.
(૧૪) વડનગરનાં ઐતિહાસિક સ્થાપત્યનું નામ જણાવો. –
કિર્તિતોરણ.
💫🍃🌹🌻🌾

  • ♦પાઠ-૨ ભારત : આબોહવા અને કુદરતી સંશોધનો.

🌾🌻🌹🍃💫
➡(૧) ભારતની મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે ? -કર્કવૃત. (૨) ઊંચાઈ પર આવેલાં સ્થળોનું તાપમાન કેવું હોય છે ? -ઠંડું.
(૩) ઓકટોબર – નવેમ્બર માસમાં ક્યાં પવનોને લીધે વરસાદ પડે છે ? - મોસમી પવનો.
(૪) પૃથ્વી પર કુદરતી રીતે સર્જાયેલાં, સરળતાથી મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતાં કુદરતી પદાર્થોને શું કહે છે ? - કુદરતી સંશાધનો.
(૫) ગંગા નદીનું બીજું નામ જણાવો. -ભગીરથી.
(૬) બિહારની કઈ નદીમાં દર વર્ષે પૂર આવે છે ? -કોસી નદી. (૭)કાશ્મીરમાં પાણીના ક્યાં સરોવરો આવેલાં છે ? - દાલ અને વુલર.
(૮) ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે ? - નર્મદા યોજના.
(૯) જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી રાસાયણિક બંધારણ ધરાવતાં પદાર્થોને શું કહે છે ? - ખનીજો. (૧૦)આ ખનીજનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં સૌથી વધુ થાય છે ? - સોનું.
(૧૧) ભારતમાં કેટલી જાતનાં વૃક્ષો થાય છે ? - ૫000. (૧૨)અંદમાન અને નિકોબાર દ્રીપસમૂહોના વૃક્ષોની ઊંચાઈ કેટલી હોય છે ? - 30 થી 35 મીટર.
(૧૩) ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં બનેલું જંગલ ક્યા નામથી ઓળખાય છે ? - સુંદરવન.
(૧૪) હોડી કે સ્ટીમરો ક્યા વ્રુક્ષના લાકડામાંથી બને છે ? - સુંદરીના.
(૧૫) ભારતના વિશિષ્ઠ પ્રાણીનું નામ જણાવો. – ગેંડો.
🍀🌾🌻🌹🍃💫

  • ♦પાઠ- ૩. અદાલતો શા માટે ?

🍀🌾🌻🌹🍃💫
➡(૧)અદાલતો એ કયા તંત્રનો ભાગ છે ? – ન્યાયતંત્ર.
(૨) સૌથી નીચલી અદાલત કઈ અદાલત ગણાય ? - તાલુકા અદાલત.
(૩) રાજ્યની વડી અદાલતને શું કહે છે ? – હાઇકોર્ટ.
(૪) ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે ? –
અમદાવાદ.
(૪) આપણા દેશની સૌથી ટોચની અદાલત ક્યા નામે ઓળખાય છે ? - સર્વોચ્ચ અદાલત.
(૫) સર્વોચ્ચ અદાલત બીજા ક્યા નામે ઓળખાય છે ? - સુપ્રિમ કોર્ટ.
(૬) FIR નું પુરૂ નામ જણાવો. - ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ. અદાલતના વડા અધિકારીને શું કહે છે –    ન્યાયાધીશ.
(૭) ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ ? - ઈ.સ. 1960 માં.
 
🍀🌾🌻🌹🍃💫

  • ♦પાઠ-૪. મુઘલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ.

🍀🌾🌻🌹🍃💫
➡(૧) ભારતમાં મુઘલવંશની સ્થાપના કોણે કરી ? - બાબર.
(૨) બાબરના અવસાન બાદ મુઘલવંશનો રાજા કોણ બન્યો ? - હુમાયુ. (૩) અમરકોટના રાણાને ત્યાં કયા મુઘલ શાસકનો જન્મ થયો ? - અકબર.
(૪) દિલ્લીની ગાદી પર સૂરવંશનું સ્થાપનાર રાજાનું નામ જણાવો. - શેરશાહ સૂરી. (૫) અકબર નાનો હોવાથી શાસન કોણે સાંભળ્યું હતું ? - સરદાર બહેરામખાન.
(૬) અકબરે કોની સાથેના યુધ્ધ વિજયથી ચિતોડ અને રણથંભોર મેળવ્યાં ? - રાણા પ્રતાપ.
(૭) અકબર પછી દિલ્લીની ગાદી પર કોણ આવ્યું ? - જહાંગીર.
(૮) અકબરના દરબારમાં બુધ્ધિશાળી અને હાજરજવાબી તરીકે કોણ વખણાતું ? - બિરબલ.
(૯) જમીન મહેસૂલના દર કોણે નક્કી કર્યા હતાં ? - શેરશાહ સૂરી.
(૧૦) સિક્કા છાપવાના સ્થળને શું કહે છે? - ટંકશાળ.
(૧૧) મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુધ્ધ ક્યાં સ્થળે થયું ? –હલ્દીઘાટી.
🍀🌾🌻🌹🍃💫

  • ♦પાઠ- ૫ ભારત : ખેતી, ઉદ્યોગ અને પરિવહન.

🍀🌻🍃🌹🌾��
➡ (૧) આપણા દેશના કેટલાં ટકા લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ? – ૭૦ % (૨)ઓછા કસવાળી જમીન ક્યાં પાકને વધુ અનુકૂળ આવે છે ? - જુવાર અને બાજરી.
(૩) બાજરીનું સૌથી વધુ ઉત્પાદન દેશમાં ક્યાં થાય છે ? - રાજસ્થાન. (૪) કયા પાકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં પ્રથમ ક્રમ છે ? - બાજરી અને શેરડી.
(૫) “ઘઉં ના ભંડાર” તરીકે કયું રાજ્ય ઓળખાય છે ?- પંજાબ.
(૬) શણના પાકને તૈયાર થતાં કેટલા મહિનાનો સમય લાગે છે ? - 8 થી 10 મહિના.
(૭) દુનિયાની સૌથી મોટી નહેર યોજનાનું નામ જણાવો. - ઇન્દિરા નહેર યોજના. (૮) ભારતમાં “પોલાદ-ઉદ્યોગના પિતા” તરીકે કોણ પ્રખ્યાત છે ? - જમશેદજી ટાટા.
(૯) ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ? - ધોરીમાર્ગ નં- 7. (૧૦) ભારતમાં મેટ્રો ટ્રેન ક્યાં કાર્યરત છે ?- દિલ્લી અને કલકત્તા.
(૧૧) પર્વતીયપ્રદેશો કે જ્યાં રેલમાર્ગ અને સડક માર્ગ શક્ય નથી, ત્યાં શાનો ઉપયોગ થાય છે ? - રોપ વે.
(૧૨) રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઈલસ્ટોનમાં શું લખેલું હોય છે ? -N.H.
🌾🌹🍃🌻🍀💫

  • ♦પાઠ- ૬ મુઘલ સામ્રાજ્ય : સુવર્ણયુગ અને અસ્ત.

🌾🌹🍃🌻🍀💫
➡(૧) મુઘલ સામ્રાજ્યનો સૌથી વધુ પ્રતિભાશાળી શાસક કોણ હતો ? - અકબર.
(૨) વિશ્વ વિખ્યાત તાજમહલ કોણે બંધાવ્યો હતો ? - શાહજહાં.
(૩) ‘રાજ્યની આબાદીનો પાયો ખેતી છે’ આવું કયો શાસક માનતો હતો ? - શાહજહાં.
(૪) જહાંગીરના સમયમાં કયો ઉત્સવ ઉજવવામાં આવતો ? - દશેરા.
(૫) મુઘલ શાસનકાળમાં ગુજરાતની કઈ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત હતી? - સુતરાઉ કાપડ. (૬) કયા મુઘલ શાસક “મહેલોનો બાંધનાર” તરીકે ઓળખાય છે ? - શાહજહાં.
(૭) શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો ? - ઈ.સ. 1630 માં શિવનેરીના કિલ્લામાં. (૮) શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં સ્થળે થયો હતો ?- રાયગઢ.
🌾🌹🍃🌻🍀💫

  • ♦પાઠ- ૭. બજારમાં ગ્રાહક.

🌾🌹🍃🌻🍀💫
➡ (૧) સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય છે ? - ગુર્જરી બજાર.
(૨) પૈસા આપી વસ્તુ ખરીદનારને શું કહે છે ? - ગ્રાહક.
(૩) શાકાહારી ખાદ્યસામગ્રી પર ક્યા રંગનું ચિન્હ હોય છે ? - લીલા રંગનું.
(૪) RTI નું પુરૂ નામ જણાવો. - રાઈટ ટુ ઇન્ફોર્મેશન.
(૫) ખેતપેદાશોથી તૈયાર થતી ચીજવસ્તુઓ પર શાનું ચિહન હોય છે ? - લાલ રંગનું.
(૬) ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુ પર શાનું નિશાન હોય છે ? - ISI.
(૭) ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ પર શાનું નિશાન હોય છે ? - વુલમાર્ક.
(૮) સોના-ચાંદીની બનાવટો પર શાનું નિશાન હોય છે ? – હોલમાર
્ક.
🍀🌻🍃💫🌹🌾

  • ♦પાઠ – ૮. મધ્યકાલીન સ્થાપત્યો.

🌾💫🍃🌻🍀🌹
➡(૧) સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ? - જૂનાગઢ.
(૨) જામનગરમાં ગુજરાતમાં ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠે કયું યાત્રાધામ આવેલું છે ? - દ્વારકા.
(૩) ગુજરાતનું કયું મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે? -
દ્વારકા મંદિર.
(૪) ભીમદેવ પહેલાએ મહેસાણા જીલ્લામાં કયું સ્થાપત્ય બંધાવ્યું હતું ? - મોઢેરાનું સૂર્યમંદિર.
(૫) રૂદ્ર મહાલય ક્યાં આવેલ છે ? - પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં.
(૬) સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે ? - અમદાવાદ.
(૭) કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ? - કુતુબુદ્દીનને.
(૮) દિલ્લીનો કુતુબમિનાર કોણે બંધાવ્યો હતો ? - ઈલ્તુત્મિશ.
(૯) ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ કોને બંધાવી હતી ? - કુતુબદીન ઐબક.
(૧૦) તુંજાવરનું બૃહદેશ્વરનું મંદિર કોને બંધાવ્યું હતું ? - રાજરાજે.
(૧૧) ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે ? - બુલંદ દરવાજો, ઊંચાઈ-53 મીટર.
(૧૨) શાહજહાંએ તાજમહલ કોની યાદમાં બંધાવ્યો હતો ? - તેની પત્ની મુમતાજની યાદમાં.
(૧૩) મુઘલ શાસનકાળ દરમિયાનના સ્થાપત્યોમાંથી કોનો સમાવેશ વિશ્વની સાત અજાયબીઓમાં થાય છે ? – તાજમહલ.
💫🍀♦🌻🍃

  • ♦પાઠ-૯. ભારત : લોકજીવન.

🌹🍃🍀🍀🌻💫🌾
➡(૧)ગુજરાતનું કયું નૃત્ય પ્રસિધ્ધ છે ? -ગરબા.
(૨) લાવણી ક્યાં રાજ્યનું નૃત્ય છે ? - મહારાષ્ટ્ર.
(૩) પંજાબનું કયું પીણું પ્રસિધ્ધ છે ? - લસ્સી.
(૪) પાંચ નદીઓનો પ્રદેશ તરીકે કોણ જાણીતું છે ? - પંજાબ. (૫)નૌકાઘર બીજા ક્યાં નામથી ઓળખાય છે ? - શિકારા.
(૬) દક્ષિણ ભારતમાં કઈ વાનગી પ્રસિધ્ધ છે ? - ઈડલી-ઢોંસા.
(૭) તમિલનાડુ તથા આંધ્રપ્રદેશના નૃત્યોના નામ જણાવો. - ભરતનાટ્યમ અને કૂચિપૂડી.
(૮) બંગાળની લોકપ્રિય વાનગીનું નામ જણાવો. - રસગુલ્લાં.
(૯) બિહુ નૃત્ય ક્યાં રાજ્યનું છે ? – આસામ.
🌹🍃🍀🌻💫

  • ♦પાઠ- ૧૦. જાહેર મિલકતો.

🌾🍀🌻💫🌹
➡ (૧) જે સામગ્રી કે સ્થળનો ઉપયોગ બધાં કરી શકતા હોય તેણે શું કહેવાય ? - જાહેર મિલકત.
(૨) આપણું ઘર એ જાહેર મિલકત કહેવાય ? - ના.
(૩) જાહેર રસ્તા પર વ્રુક્ષો એ જાહેર મિલકત કહેવાય ? - હા. (૪) સ્થાપત્યોને નુકશાન કરવાથી શું થાય ? - ગુનો બને, સજા થાય.
🌾🍀🌻🍃

  • ♦પાઠ- ૧૧. ઈશ્વર સાથે અનુરાગ.

🍀💫🍃🌹🌻
➡ (૧) વલ્લભાચાર્યનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - બિહારના ચંપારણ્યમાં ઈ.સ. 1479માં.
(૨) ચૈતન્ય મહા પ્રભુનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - બંગાળમાં ઈ.સ.1485માં નાદિયામાં.
(૩) ગુરૂ નાનકનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - ઈ.સ.1469માં લાહોર નજીક તલવંડી ગામે. (૪) શીખ ધર્મગ્રંથનું નામ જણાવો. - ગુરૂ ગ્રંથ સાહેબ.
(૫) ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી ? - સ્વામી રામાનંદ.
(૬)“વૈષ્ણવજન તો તેને રે કહીએ” કાવ્ય કોણે રચ્યું હતું ? - નરસિંહ મહેતા.
(૭) સંત કબીર શાનાં માટે જાણીતા છે ? - દોહા માટે. (૮) સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો ? - કાશી. (૯) સંત રૈદાસની શિષ્યાનું નામ જણાવો. – મીરાંબાઈ.
🌾💫💫💫💫

  • ♦પાઠ- ૧૨. ખંડ-પરિચય : ઉત્તર અમેરિકા , દક્ષિણ અમેરિકા અને યુરોપ.

🍃🍃🍃🍃🍃🍃🍃
(૧) અમેરિકાનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું ? - અમેરીગો વેસ્પુચી.
(૨) અમેરિકાના મૂળ વતનીઓ ક્યા નામે ઓળખાય છે ? - રેડ ઇન્ડિયન.
(૩) મેકેન્ઝી નદીઓના બનેલા મેદાનોનું નામ જણાવો. - પ્રેરિઝના મેદાનો.
(૪) ઉત્તર અમેરિકાના સૌથી ઊંચાં શિખરનું નામ જણાવો. - માઉન્ટ મેકિન્લે.
(૫) અલાસ્કાના બર્ફીલા પ્રદેશના લોકો કેવાં ઘરમાં રહે છે ? - બરફના ચોસલામાંથી બનેલ ઇગ્લુમાં.
(૬) કેનેડામાં કયું ખનીજો વિશ્વમાં સૌથી વધુ મળે છે ? - એસ્બેસ્ટોસ, નિકલ, પ્લેટિનમ.
(૭) વિશ્વની સૌથી મોટી નદીનું નામ જણાવો. - એમેઝોન.
(૮) પંપાઝ મેદાનોમાં કયું ઘાસ જાણીતું છે ? - આલ્ફાલ્ફા.
(૯) ઉત્તરધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર ભારતીય નારીનું નામ જણાવો. - પ્રીતી સેનગુપ્તા.
(૧૦) બ્રાઝિલમાં કયો અજાયબ અજગર જોવા મળે છે ? – એનાકોન્ડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો